વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદ પહોંચ્યો
Live TV
-
સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ, ઘર-ઘર પહોંચાડવાના સંકલ્પ સાથે ફરી રહેલા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો રથ, આણંદના બાકરોલ ગામે પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે, આયુષ્માન, લોન આવકના દાખલા જેવી યોજનાઓના લાભ, વંચિત લાભાર્થીઓને આપ્યા હતા. દેશના અનેક જિલ્લાઓમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો રથ ફરી રહ્યો છે, જેનો ઉદ્દેશ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે.
