વિદેશમંત્રી એસ.જયશંકર અને સાંસદ જુગલજી ઠાકોરને હાઈકોર્ટ તરફથી રાહત
Live TV
-
રાજ્યસભામાં બન્નેની જીતને પડકારતી ત્રણ પીટિશન હાઈકોર્ટે ફગાવી: બન્નેની જીત પર હાઈકોર્ટે લગાવી મહોર
રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને સાંસદ જુગલજી ઠાકોરને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે.રાજ્યસભાની ચૂંટણીમાં બન્નેને જીતને પડકારતી ત્રણ ઈલેક્શન પિટિશન હાઈકોર્ટે ફગાવી દીધી છે.અને કોર્ટે બન્નેની જીત પર મહોર મારી છે.રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની રાજ્યસભાની જીતને પડકારતી પિટિશન કરી હતી.જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે
