વિધાનસભામાં બપોરે 12:00 વાગે બજેટ સત્રની શરૂઆત થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામ મંદિર અંગેનો આભાર પ્રસ્તાવ રજૂ કરશે
Live TV
-
ગુજરાત વિધાન સભા આજે બપોરે 12:00 વાગે બજેટ સત્રની શરૂઆત થસે. આ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામ મંદિર અંગેનો આભાર પ્રસ્તાવ રજૂ કરશે.
આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર સહિતના વિભાગોને લગતા સવાલોના જવાબ રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહમાં રામ મંદિર અંગેનો આભાર પ્રસ્તાવ રજૂ કર્યાં પછી રાજ્યપાલના અભિભાષણ અંગે ધારાસભ્યો પોતાનો આભાર સંદેશ રજૂ કરશે.
