વિશ્વ પર્યાવરણ દિન 2018 નિમિત્તે ભારત સરકારના સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ સંસ્થાઓએ હાથ ધર્યું સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન
Live TV
-
ગીર ફાઉન્ડેશન, વનવિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મધર ડેરી જેવી વિવિધ સંસ્થાઓ સાથે મળીને હાથ ધર્યું સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન
વિશ્વ પર્યાવરણ દિન 2018 નિમિત્તે ભારત સરકારના સ્વચ્છ ભારત અંતર્ગત ઇન્દિરા બ્રિજ ખાતેના ગીર ફાઉન્ડેશન, વનવિભાગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મધર ડેરી જેવી વિવિધ સંસ્થાઓ સાથે મળીને સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. 200થી વધારે પોલિસેન્ટર દ્વારા નદીમાં રહેલ પ્લાસ્ટિક, કાગળ જેવી ચીજવસ્તુઓના કચરાને વીણીને નાશ કર્યો હતો. અને નદીની સફાઈ કરી હતી. ગીર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં નદી, સરોવર તથા દરિયાકિનારાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી રહી છે. ગાંધીનગર ગીર ફાઉન્ડેશનના નિયામક આર.ડી.કમ્બોજે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરી લોકોએ પર્યાવરણ બચાવવા સહયોગ કરવો જોઈએ.
