શાપર ખાતે થયેલ દલિત હત્યા બાબતે ભેદભાવ વગર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે ગુજરાત સરકાર
Live TV
-
સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારે મૃતકના પરિવારને જાહેર કરેલ તમામ સહાય પૂરી પાડીને ભેદભાવ વગર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેનો આપ્યો જવાબ
વેરાવળ શાપર ખાતે થયેલ દલિત હત્યા બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત સરકારને નોટીસ આપવામાં આવી છે જે મામલે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારે જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે મૃતકના પરિવારને જાહેર કરેલ તમામ સહાય પૂરી પાડી ભેદભાવ વગર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
