શાપર વેરાવળમાં દલિત હત્યા મામલે સરકારે સહાયની જાહેરાત કરી
Live TV
-
પરિવારની અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી
શાપર વેરાવળમાં ફેકરટી માલિકો દ્વારા દલિત યુવાનની કરવામાં આવેલી હત્યાના મુદ્દે , રાજ્ય સરકારના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી , ઈશ્વરભાઈ પરમારે પત્રકાર પરિષદ યોજી , યુવાનના મૃત્ય મામલે દુઃખની લાગણી વ્યક્ત કરી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ , રાજ્ય સરકારે 8 લાખ 35 હજાર રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉપરાંત પરિવારની અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની પણ , જાહેરાત કરી છે.
