સતત ત્રીજા દિવસે ટ્રાન્સપોર્ટરોની હડતાલ
Live TV
-
સમગ્ર દેશમાં છેલ્લાં ત્રણ દિવસ થી સમગ્ર દેશ ના ટ્રાન્સપોર્ટરો દ્વારા ડીઝલ ને જીએસટી માં સમાવવા માટે હડતાલ ચાલી રહી છે. પરંતુ દક્ષીણ ગુજરાતના નવસારીમાં નાં કોઈ હડતાલની અસર છે ના તો શાકભાજીના ભાવમાં કોઈ વધારો જોવા મળી રહ્યો છે..નવસારી જિલ્લાના ના બીલીમોરા ખાતે આવેલ એપીએમસી માર્કેટ માં પણ હડતાલની કોઈ અસર જોવા મળતી નથી. અહીં રાબેતા મુજબ જ વાહનો દ્વારા શાકભાજી પોહચી રહ્યું છે..જે ભાવો ચાર દિવસ પહેલા હતા એજ ભાવો આજે પણ યથાવત છે.તેમજ શાકભાજી 20 થી 30 ગણાનો ભાવ વધારો થયો એવા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ખોટા મેસેજ નો નવસારી જીલ્લાના શાકભાજી ના વેપારીઓએ રદિયો આપી આવી વાત ને નકારી કાઢી હતી .પરંતુ શાકભાજી માર્કેટ ના વેપારીઓના મત મુજબ શાકભાજી માં ભાવવધારો એ સીઝનલ હોય છે જે નહિવત ભાવવધારો કહી શકાય જેને ટ્રાન્સપોર્ટ હડતાળ સાથે જોડવો અયોગ્ય છે.
