સતત વરસાદના કારણે ગઢડાની ઘેલા નદીમાં ઘોડાપૂર આવ્યું
Live TV
-
આ વર્ષે રાજ્યમાં 100 ટકા ઉપર વરસાદ વરસી ગયો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો નદીઓ નાળાં ઉભરાઈ ગયા છે. જળાશયો પણ ભરાઈ જતા પાણીના સ્તર પણ ઉંચા આવ્યા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, વેરાવળ, ભાવનગર, જામનગરની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
બોટાદના ગઢડા પંથકમાં અવિરત મેઘમહેરથી ઘેલા નદીમાં પૂર આવ્યું છે. 2007 બાદ ઘેલા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગઢડા પંથક અને ઉપરવાસમાં સતત વરસાદથી ઘેલા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે.
