સરકારની ગાઇડલાઇન પ્રમાણે યોજાશે રથયાત્રાઃ જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી
Live TV
-
રથયાત્રા આયોજન મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીની પ્રત્રકાર પરિષદ યોજી તૈયારીઓ અને સરકારની ગાઇડલાઇન પ્રમાણેના આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી રથયાત્રાને આગલા દિવસે મંદિરે આવશે. તેમજ કેંદ્રિય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે જોડાશે. આવતીકાલે મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાશે. તો બીજના દિવસે સવારે 4 વાગે મંગળા આરતી થશે. અને 6 વાગે ભગવાનને ખીચડાનો ભોગ અર્પણ કરાશે. તો આયોજન મુજબ સવારે 7 કલાકે રથની પહિંદ વિધિ થશે.
કુલ 120 ખલાસીઓ ભગવાનના રથ ખેચશે. 24 કલાક પહેલા તમામ ખલાસીઓના RTPCR ટેસ્ટ થશે.
