સરદાર સરોવરઃ નર્મદાના પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું
Live TV
-
સરદાર સરોવરનું પાણી દૂષિત હોવાને , મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડે કબૂલ્યું કે - પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું - ભૂકંપના કારણે પેટાળનો ઝેરી વાયુ ભળતાં , પાણી થયું દૂષિત.હાલમાં જ છોડવામાં આવેલા પિવાનું પાણીમાં કોઇ પ્રદૂષણ નહીં હોવાની પણ સ્પષ્ટતા
સરદાર સરોવરનું પાણી દૂષિત હોવા અંગે અટકળો ચાલતી હતી, પરંતુ પાણી કાળું હોવાનું પ્રાથમિક તબક્કે જી.પી.સી.બી.એ શોધી કાઢ્યું છે. સરદાર સરોવરનું પાણી કેમ દૂષિત થયું , તે અંગે કેટલાય દિવસથી અનેક શંકા-કુશંકાઓ હતી.
આ સંશોધન મુજબ, પાણીમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ 4.02 એમ.જી. થી , ઘટીને 1.2 એમ.જી. થયું હતું. નર્મદા ડેમ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકાથી , પેટાળનો ઝેરી વાયુ સરદાર સરોવરમાં ભળ્યો. ઝેરી વાયુની અસર દેખાતા પાંચ દિવસ જેટલો સમય લાગી શકે છે.
બહારથી પાણી પ્રદુષિત થયાના કોઈક અહેવાલો મળ્યા નથી. ઝેરી વાયુથી ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું , જેના કારણે માછલીઓ મરી હતી. હાલમાં પાણી સામાન્ય થઈ રહ્યું છે. પાણી સામાન્ય થતાં અનેક વિસ્તારોમાં પીવા માટે પાણી છોડવામાં આવ્યું.
