સાબરકાંઠા જિલ્લાનાં વડાલીનાં બાવસર નજીક 36 થી વધારે કાગડાઓનાં મોત, ૩ મૃત પંખીઓનાં સેમ્પલ ભોપાલ ખાતે મોકલ્યા
Live TV
-
સમગ્ર દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લૂએ પણ ચિંતા વધારી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં વડાલીનાં બાવસર નજીક 36 થી વધારે કાગડાઓનાં મોત થતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વહીવટી તંત્રએ ૩ મૃત પંખીઓનાં સેમ્પલ ભોપાલ ખાતે મોકલી આપ્યા છે. ઉપરાંત આસપાસના 10 કિલોમીટરનાં એરિયામાં સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ પોઝિટિવ આવે તો પૂર્વ તૈયારીનાં ભાગરૂપે પશુપાલન વિભાગની વિવિધ ટીમોને તાત્કાલિક ધોરણે તૈનાત કરાઇ છે.
