સાળંગપુરના હનુમાનજીને શાસ્ત્રો-પુસ્તકોનો વિશેષ શણગાર
Live TV
-
બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધર્નુમાસ નિમિતે દાદાને રોજેરોજ વિશેષ શણગાર કરવામાં આવતા હોય છે. આજે હનુમાનજી દાદાને 108 કરતા વધારે શાસ્ત્રો - પુસ્તકોનો શણગાર કરવામાં આવ્યો હતો.
જેમાં 18 પુરાણ, 4 શાસ્ત્રો,10 વેદ અને ઉપનિષદ સાથે, આયુર્વેદ શાસ્ત્રો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રીથી હનુમાનજીને શણગાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હનુમાનજીને પણ શાસ્ત્રોના નામ વાળા વાઘા પહેરવવામાં આવ્યા હતા. હનુમાન ભગવાનના અલૌકિક શણગાર સાથે દર્શન થતા હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
