સિરામિક ઉદ્યોગકારોને ગેસના બિલમાં 16 ટકાની રાહત આપશે રાજ્ય સરકાર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિરામિક ઊદ્યોગોને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો, મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કોરોના કાળમાં સિરામિક ઉદ્યોગને મોટી રાહત આપીને મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનો પ્રયાસ આદર્યો છે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ S.C.M. રૂપિયા 2.50 વધારાની રાહત અપાશે. અગાઉ મુખ્યમંત્રીએ આ ઉદ્યોગોને પ્રતિ S.C.M. રૂપિયા બે ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂપિયા 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ને પરિણામે રાજ્યના સિરામિક ઉદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે..એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એકસપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે...
