સુરત અગ્નિકાંડ કેસમાં ડે.ઈજનેરની ધરપકડ
Live TV
-
અપ્રમાણસર મિલકત કેસમાં ACBએ ધરપકડ કરી
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચ પછી એ.સી.બી. પોલીસ પણ તપાસ કરી રહી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે મનપા અધિકારીઓ, બિલ્ડર અને ટયુશન કલાસના સંચાલકો સામે ફરિયાદ દાખલ કર્યા પછી એ.સી.બી. એ પણ અધિકારીઓ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત કેસમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મનપાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પાસે આવકના પ્રમાણમાં 116 ટકા વધુ મિલકતો અર્થાત એક કરોડથી વધુની મિલકતો હોવાના પુરાવા મળતાં એસીબી એ અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ એ.સી.બી. દ્વારા આ પહેલી ફરિયાદ દાખલ થઈ છે.
