સુરેન્દ્રનગરઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ રક્તદાન કરી જન્મદિવસ ઉજવ્યો
Live TV
-
મહંત દેવપ્રકાશે પોતાના 25 વર્ષ પૂરા કરતાં 25 બોટલ લોહી એકત્ર કરી જન્મદિવસની ખુશી મનાવી હતી.
સુરેન્દ્રનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંત દેવપ્રકાશ સ્વામીએ પોતાનો જન્મદિવસ રક્તદાન કરીને ઉજવ્યો હતો. મહંત દેવપ્રકાશે પોતાના 25 વર્ષ પૂરા કરતાં 25 બોટલ લોહી એકત્ર કરી જન્મદિવસની ખુશી મનાવી હતી.
સ્વામીજીની સાથે સાથે કેટલાક હરિ ભક્તોએ પણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સ્વામીજીએ લોકોને વ્યસનથી દૂર રહેવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો યુવા વર્ગ વ્યસનમાં બરબાદ થઈ રહ્યો છે.
વધુમાં સ્વામીજીએ રક્તદાન અંગે કહ્યું હતું કે, રક્તદાન કરવું આપણી ફરજ છે, તેનાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ. રક્તદાનથી મોટો કોઈ માનવધર્મ નથી.
