સુરેન્દ્રનગરના ખાંભડા ગામે પહોંચ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ
Live TV
-
સરકારની વિવિધ યોજનાઓને ગ્રામિણ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.