સુરેન્દ્રનગરના થાનગઢ નજીક આવેલ તરણેતર ખાતે સોમવારથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ
Live TV
-
સુરેન્દ્રનગરના થાનગઢ નજીક આવેલ તરણેતર ખાતે સોમવાર થી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ થશે. 16 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ વિશ્વ પ્રસિદ્ધ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક રમતો કબડ્ડી રસ્સાખેચ કુસ્તી, લાડુ ખાવાની હરીફાઈ, પશુ પ્રદર્શન સ્પર્ધા, તેમજ રાસ, પાવા હરીફાઈ, દુહા છંદ, ગરબા જેવી વિવિધ સ્પર્ધા યોજાશે. ઋષી પાંચમના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે સ્નાનનું અનેરૂ મહત્વ છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરશે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આરોગ્યની સેવા કાયદો વ્યવસ્થા તેમજ બસ ની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
