સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેઈન બજારમાં કાપડની દુકાનમાં અગમ્ય કારણોસર લાગી ભીષણ આગ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક પાસે વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુની અંદાજે 15 થી વધુ દુકાનો માં ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળે ફાયર ફાઈટરની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આગ એટલી ભીષણ છે કે, ધાંગધ્રા આર્મી તથા વઢવાણ ,હળવદ, વિરમગામ સહિત ના ફાયર ફાઈટરોની આગ પર કાબુ મેળવવા મદદ લેવામાં આવી રહી છે. દિવાળીના કારણે કાપડની દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હતો જે બળીને ખાખ થઈ ગયો છે.
આગને કાબૂમાં લેવા માટે આર્મીના 50થી વધુ જવાનો કામે લાગ્યા હતા. વિરમગામથી વધારાના ફાયર ફાઈટરો બોલાવાયા આવ્યા હતા. કલેક્ટરે કહ્યું હતું કે આગ ભીષણ સ્વરૂપ પકડી રહી છે.ધ્રાંગધ્રામાં મુખ્ય બજારમાં 15થી વધુ દુકાનોમાં આગની ઝપેટમાં આવી હતી.
આર્મી અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવા આર્મીના 50 જવાનો તૈનાત કરાયા હતા. આગમાં એક ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઇ હતી. શ્રદ્ધા લેબોરેટરી આગની ઝપેટમાં આવી હતી.