સુરેન્દ્રનગરમાં 150 વર્ષથી પૌરાણિક ગરબાની પરંપરા હજુ પણ અકબંધ
Live TV
-
માં આધ્યાશક્તિના પર્વ, નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 150 વર્ષથી પૌરાણિક બ્રાહ્મણની ગરબીની ઓળખ આજે પણ અકબંધ છે. જે શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં રમાય છે.
આ ગરબામાં માત્ર પુરુષો, કોઈપણ જાતના ભેદભાવ વગર ગરબા રમી, અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરે છે. આમાં તિથિ અને વાર મુજબ વલ્લભ ભટ્ટના પ્રાચીન ગરબા ગવાય છે અને કોઈ પણ પ્રકારના સાઉન્ડ અને લાઇટના ડેકોરેશનનો ઉપયોગ નથી થતો.
આ જગ્યાએ મોઢેથી માતાજીના ગરબા ગવાય છે, જેમાં એક સાથે ત્રણ પેઢીના પુરુષો ગરબે ઘુમે છે. આ ગરબા લોક સંસ્કૃતિને સુંદર રીતે ઉજાગર કરે છે.
