સોમનાથનું પુનઃનિર્માણ ભારતની સભ્યતાના પુનરુત્થાનનું પ્રતીક: CM હિમંત બિસ્વા સરમા
Live TV
-
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષને ભારતની અડગ આસ્થા અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક ગણાવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં તેમણે મંદિરના આધ્યાત્મિક મહત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ મંદિરનું પુનઃનિર્માણ ભારતની સ્થાયી સાંસ્કૃતિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે.મુખ્યમંત્રીએ સંસ્કૃત શ્લોક ““सोमलिंगं नरो दृष्ट्वा सर्वपापैः प्रमुच्यते, लभते फलम् मनोवाञ्छितम् मृतः स्वर्गं समाश्रयेत”.” ટાંકીને જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભ પટેલની ભૂમિકાને પણ યાદ કરી હતી. સરમાના મતે, સરદાર પટેલના દ્રઢ સંકલ્પ અને વિઝનને કારણે જ સદીઓના આક્રમણો અને વિનાશ બાદ સોમનાથનું પુનરુત્થાન શક્ય બન્યું છે, જે આજે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ‘વિકાસ પણ, વિરાસત પણ’નો મંત્ર સાકાર થઈ રહ્યો છે, જેમાં સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણની સાથે આધુનિક વિકાસને પણ વેગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં અનેક માળખાગત પ્રોજેક્ટ્સ કાર્યરત છે.
