સ્વચ્છતા હિ સેવા: પાદરા એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અને મુસાફરોના સૂચનો લેવાયા
Live TV
-
સ્વચ્છતા અંગે મળેલા મુસાફરોના સુચનોના આધારે સફાઈ કામગીરી કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા "સ્વચ્છતા હિ સેવા" અભિયાન અંતર્ગત પાદરા એસટી તંત્ર દ્વારા એક વિશેષ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં બસ અંદર, સ્ટેન્ડમાં સફાઈ અંગે સૂચનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કંડકટર, ડ્રાઇવર સહિત વહીવટી કર્મીઓ દ્વારા બસમાં બેસેલા, બસ સ્ટેન્ડમાં રહેલા યુવાનો, વડીલો, મહિલાઓ જેવા વિવિધ પ્રકારના મુસાફરો પાસેથી એક બોકસમાં મુક્ત પણે લખાયેલા સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા. આ સૂચનોના આધારે પાદરા એસટી તંત્ર દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવશે. સૂચનો આપતી વેળાએ મુસાફરોએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
