‘સાગર પરિક્રમા-૨૦૨૨’ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સાગરખેડૂઓને પ્રોત્સાહન આપ્યું
Live TV
-
દેશમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા કેન્દ્રિય મંત્રી પૂરુશોત્તમ રૂપાલાની આગેવાનીમાં ત્રિ-દિવસીય સાગર પરિક્રમા 2022 યોજવામાં આવી હતી. આજે પરિક્રમાના અંતિમ દિવસે વિશેષ બોટ સુરતના હજિરામાં આવેલા અદાણી પોર્ટ પર પહોંચી હતી.
ક્રાંતિ સે શાંતિ થીમ પર યોજાયેલ સાગર પરિક્રમા અંતર્ગત ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામમાં આ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી દ્વારા મત્સ્યપાલન કરતા જિલ્લાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રિજરેટેડ વાન, અને મોયરસાઈકલ વિથ આઈસબોક્સ જેવી વિવિધ સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના રાજ્ય મંત્રી ડૉક્ટર એલ. મુરૂગન, કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં કેન્દ્રિય મંત્રી ડૉક્ટર એલ. મુરૂગને જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મત્સ્ય-ઉત્પાદક અને બીજો સૌથી મોટો એક્વા-કલ્ચર ફિશ ઉત્પાદક દેશ પણ છે, પરિણામે બ્લ્યૂ ઇકોનોમીને ગતિ આપવાની અને વિશાળ સંખ્યામાં રોજગારી આપવાની આપણી પાસે ક્ષમતા છે.
