23-24 ફેબ્રુઆરી મતદારયાદી સુધારણા કાર્યક્રમ
Live TV
-
નવસારીમાં મતદાર યાદી સુધારણામાં ૨૬,૩૭૦ નવા મતદારો નોંધાયા
આગામી દિવસોમાં એવી લોક સભાની ચુંટણી આવી રહી છે ત્યારે નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સભાખંડ ખાતે આગામી તા.૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ મતદારયાદી કાર્યક્રમ-૨૦૧૯ના આયોજન સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિ/મિડીયાકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં નવસારી જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.મોડિયાએ જણાવ્યું કે જિલ્લામાં સતત મતદાર યાદી સુધારણામાં ૨૬,૩૭૦ નવા મતદારો નોંધાયા છે. નવસારી સંસદીય વિસ્તારમાં ૨૫-નવસારી અને ૨૬-વલસાડ સહિત કુલ ૧૦ લાખ ૧૬ હજાર ૪૭૩ મતદારો નોંધાયા છે. જિલ્લામાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ કોઇપણ મતદાર બાકી ન રહે એ માટે તા.૨૩ અને ૨૪ ના રોજ નામ નોંધણી કરી શકાશે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામી કમી કરવા ફોટો કે વિગતો સુધારવા, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરી રજૂ કરી શકાશે
