4 લાખથી વધુની કિંમતનો 1,462 કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત
Live TV
-
ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી.
ખોરાક અને ઔષધ નિયમન વિભાગની Flying Squad અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા, નડિયાદમાં આવેલી "ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી", અંદાજે રૂપિયા 4 લાખથી વધુ કિંમતનો, 1,462 કિલોગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો, જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા ડેરીમાં વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. જેમાં ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતું હતું. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ, તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.