CMનો મહત્વ પૂર્ણ નિર્ણય; 14મી થી રાજકોટમાં ધમધમશે ઉદ્યોગો
Live TV
-
લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં અનેક શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં હોવાથી ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં આવેલા વિસ્તારોમાં વેપાર ઉદ્યોગ શરુ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી એ મીટીંગમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં છેલ્લાં એક સપ્તાહથી સ્થિતિ કાબુમાં આવતા, હવે આગામી ગુરુવારથી રાજકોટ શહેરમાં ઉદ્યોગો શરુ કરી શકાશે. આ માટે જીલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
