CM રૂપાણીના હસ્તે 5 નવનિર્મિત એસટી બસ સ્ટેશનો, એક ડેપો – વર્કશોપનું લોકાર્પણ
Live TV
-
રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાહસ્તે પાંચ નવનિર્મિત એસટી બસ સ્ટેશનો તથા એક ડેપો – વર્કશોપનું લોકાર્પણ તથા 10 બસ સ્ટેશનનાવીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે યોજાશે.
મુખ્યમંત્રી 15 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ચુડા,અંકલેશ્વર – GIDC , સિદ્ધપુર, દિયોદર અને તલોદ બસ સ્ટેશન તથા ઊનાખાતે ડેપો વર્કશોપનું વીડિયોના માધ્યમથી આજે લોકાર્પણ કરશે.
આ ઉપરાંત આશરે 19 કરોડ રૂપિયાના ખર્ચે મહુવા, કલ્યાણપુર,ભાણવડ, વસઈ, સરા, ટંકારા, કોટડા સાંગાણી, તુલસીશ્યામ, ધાનપુર અને કેવડીયા કોલોની ખાતે તૈયાર થનાર બસ સ્ટેશનનુંઇ-ખાતમુહૂર્ત કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ મહેસાણાજિલ્લામાં વસઈ ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે અન્ય સ્થળોએ સાંસદ તથા ધારાસભ્યોઉપસ્થિત રહેશે.
