CM વિજય રૂપાણીએ આજે દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળવવા અંગેની બેઠકમાં રહ્યા ઉપસ્થિત.
Live TV
-
CM વિજય રૂપાણી એ આજે દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળવવા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે ગાંધીનગર સેક્ટર 19 ના સ્ટેટ ઇમજન્સી ઓપરેશન સેન્ટરમાં રાજ્યમાં સંભવિત દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળવવા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નિસર્ગ વાવાઝોડાને લઈ સરકાર સતર્ક છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને દરિયાકાંઠે સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના લોકોને અપીલ કરતા કહ્યું કે વાવાઝોડાને શક્યતાને પગલે તેઓ જરૂર પુરતા જ બહાર નીકળે. વાવાઝોડાની ગતિ 100થી 105 કિલોમીટર પ્રતિકલાક રહેવાની શક્યતા છે.
