PM કિસાન સન્માનનિધી યોજનાનો અંગે સૌથી વધુ જાગૃતિ સા.કાંના ખેડૂતોમાં
Live TV
-
પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના હેઠળ ખેડૂતોને જે લાભ મળવાનો છે તે અંગે ,સૌથી વધુ જાગૃતિ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારા ખેડૂતો સૌથી વધુ સાંબરકાંઠામાં નોંધાતા રાજ્યમાં આ જિલ્લો પ્રથમક્રમે આવ્યો છે. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં 3 તબક્કે સીધા જ નાણા જમા થાય તેવી યોજના સરકાર દ્વારા ચાલી રહી છે.
અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો કિસાન સન્માનવિધિ યોજનાનો લાભ લેવા અરજી કરી રહ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ કરેલી અરજી પૈકી 66 હજાર 686 અરજીઓની ડેટા એનટ્રી થઈ ચૂકી છે.
ખેડૂતોએ જમીનના ઉતારા આધારકાર્ડ અને ફોટો આપવાથી ગ્રામ પંચાયતના ,તલાટી કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરી આપશે અને પહોંચ પણ આપવામાં આવશે. એક વખત થયેલી એન્ટ્રી પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. જે ખેડૂતોની અરજી વહેલી મળી છે તેમને નાણાકીય સહાય ઝડપથી મળશે.
