PM મોદી બધા રાજ્યોના CM સાથે રસીકરણ અભિયાન અંગે બેઠક કરશે
Live TV
-
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રાજ્યો અને કોન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુલી બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યોની કોરોના કેસોની પરિસ્થિતી અને રસીકરણ માટે રાજ્યોની તૈયારી પર ચર્ચા કરાશે.
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રાજ્યો અને કોન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુલી બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યોની કોરોના કેસોની પરિસ્થિતી અને રસીકરણ માટે રાજ્યોની તૈયારી પર ચર્ચા કરાશે.
અગાઉ પીએમ મોદીની અધ્યક્ષતામાં દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં રસીકરણની તૈયારીની સમીક્ષા કર્યા બાદ 16 મી જાન્યુઆરી - 2021ના રોજ એટલે કે, લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને બિહુ સહિતના આગામી તહેવારો પછી કોરોના સામેની રસીકરણ ઝુંબેશ શરૂ કરાવાનુ જાહેર કરાયુ હતુ. ત્યારે આજે મળનારી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદી કોરોના રસીકરણ સામે રાજ્યોની તૈયારીની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે, રસીકરણમાં સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કામદારોને અગ્રતા આપવામાં આવશે જેની અંદાજિત સંખ્યા આશરે ત્રણ કરોડ જેટલી છે. ત્યાર બાદ 50 વર્ષથી વધુ વયના અને કો-મોર્બિડિટી ધરાવતા 50 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓનો, સમાવેશ કરવામાં આવશે. જેની સંખ્યા આશરે 27 કરોડની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19 રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીઓની સાથે
