RSSના સર સંઘ ચાલક મોહન ભાગવત રાજકોટની મુલાકાતે
Live TV
-
RSSના સર સંઘ ચાલક મોહન ભાગવત રાજકોટની મુલાકાતે છે. રાજકોટ એરપોર્ટ ખાતે RSSના આગેવાનોએ મોહન ભાગવતનું સ્વાગત કર્યુ હતુ. એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શનિવારે સવારે 9 કલાકે મોહન ભાગવત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કક્ષાના સ્વયમ સેવક સંઘના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બે દિવસ બેઠક કરશે. લોકડાઉન દરમિયાન સંઘની શાખાઓ બંધ રહી હતી. તેને ફરી શરૂ કરવા માટે આયોજન કરાશે. સતત બે દિવસ ચાલનારી બેઠકમાં સમાજમાં આર્થિક મુશ્કેઓ ,તેમજ અન્ય મહત્વ ના મુદ્દાઓ પર ,ચર્ચા-વિચારણા કરાશે. તો સાથે જ રામ મંદિર અંગે પણ, ચર્ચા કરાશે. આ ઉપરાંત, 25 મી તારીખે, મોહન ભાગવત સંઘ પ્રચારકોના પરિવારો સાથે મુલાકાત કરશે. અને બાદમાં RSSના સરસંઘ ચાલક મોહન ભાગવત 25મી તારીખે અમદાવાદ માટે રવાના થશે.
