ST હડતાળ - CM વિજય રૂપાણીએ 3 મંત્રીઓની બનાવી કમિટી
Live TV
-
એસટી કર્મચારીઓ સાથે ચર્ચા કરી સમસ્યાનું નિરાકરણ લાવવા કરશે પ્રયાસ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નો ની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓ ની કમિટી ની રચના કરી છે...નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની આ કમિટિ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગો ને આ આંદોલન ને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટ ના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે..મુખ્યમંત્રી એ કર્મચારી મંડળો ને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટો થી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતા થી વાટાઘાટો માટે આગળ આવે આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલન થી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજ નું વ્યાપક હિત જળવાય તે હેતુસર આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજયભાઈ રૂપાણીએ કરી છે
