અમરેલીમાં હેલ્થકાર્ડ બનાવવાની કામગીરીની શરૂઆત
Live TV
-
અમરેલીમાં હેલ્થકાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જેના અંતર્ગત અમરેલી શહેરના શાકભાજીના ફેરિયા, પાન તેમજ નાસ્તાના દુકાનદારો પોતાના હેલ્થકાર્ડ બનાવીને પોતાના વેપાર કરી શકશે. આ માટે દર 15 દિવસે રિન્યૂ કરાવીને ચેકઅપ કરીને હેલ્થકાર્ડ અપાય છે. આ માટે વેપારીઓના રેપીડ અને RTPCR ટેસ્ટ કરીને હેલ્થ કાર્ડ અપાય છે. જેથી અમરેલી શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય. આ હેલ્થ કાર્ડ બાદ શહેરના વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાના ધારકો અને શાકભાજીના ફેરિયાઓ શાંતિથી પોતાનો વેપાર કરી શકશે. હાલ અમરેલી નગરપાલિકાના તંત્ર દ્વારા રોજના ૨૫ થી ૫૦ ટેસ્ટ કરાય છે. આ સાથે શહેરીજનોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા માટેની અપીલ કરાઈ છે.