Skip to main content
Settings Settings for Dark

એલર્જી હોય તેવા લોકો રસીકરણ કરાવી શકે ? આ રહ્યો જવાબ

Live TV

X
  • ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલ પ્રશ્ન કોવિડના રસીકરણ મુદ્દે લોકો દ્વારા સામાન્યપણે પૂછવામાં આવતા કેટલાક પ્રશ્નોમાંનો છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલ અને અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોના મનમાં કોવિડ-19ના રસીકરણ અંગે ઉભા થતા આવા તમામ પ્રશ્નોનાં વિસ્તૃત અને સંપૂર્ણ જવાબો આપ્યા હતા. આ પ્રશ્નના સંબંધમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલ અને AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આ પ્રમાણે જવાબ આપ્યા.

    સવાલ: એલર્જી હોય તેવા લોકો રસીકરણ કરાવી શકે?

    જવાબ:

    ડૉ. પૉલ: જો કોઇ વ્યક્તિને કોઇ ચોક્કસ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તો તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોવિડની રસી લેવી જોઇએ. જો કે માત્ર સામાન્ય શરદી, ત્વચાની એલર્જી વગેરે જેવી કોઇ સામાન્ય એલર્જી થતી હોય તો તેવા દર્દીઓએ રસી લેવામાં જરાય અચકાવું જોઇએ નહીં.

    ડૉ. ગુલેરિયા: જે લોકો પહેલાંથી જ એર્લજીને લગતી કોઇ દવાઓ લઇ રહ્યાં હોય તો તેમણે દવાઓ લેવાનું બંધ કરવું જોઇએ નહીં, તેમણે રસી લેતી વખતે પણ પોતાની દવા નિયમિત ધોરણે લેવાનું ચાલુ જ રાખવું જોઇએ. એ પણ સમજી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમામ રસીકરણ સ્થળો પર લોકોને રસી આપ્યા પછી તેના કારણે જો એલર્જીને લગતી કોઇ સમસ્યા થાય તો તેના વ્યવસ્થાપન માટે વિશેષ વ્યવસ્થાઓ કરેલી હોય છે. આથી, અમારી સલાહ છે કે, જો તમને કોઇ ગંભીર એલર્જીની સમસ્યા હોય તો પણ તમારે નિયમિત દવાઓ લેવાનું ચાલુ રાખવું જોઇએ અને સાથે સાથે તમે રસીકરણ માટે પણ જઇ શકો છો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply