ગુજરાતમાં ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, નવા 13 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારાની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. 24 કલાકમાં ઓમિક્રોનના નવા 13 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 2, વડોદરામાં 7, ખેડામાં 3 અને આણંદમાં એક કેસ નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનના ફુલ 43 કેસ નોંધાયા છે. 8 દર્દીઓ ઓમિક્રોનથી સ્વસ્થ થયા છે. વડોદરામાં સૌથી વધારે 17 ઓમિક્રોન કેસ થયા છે. જામનગરમાં 3, સુરતમાં 2, મહેસાણામાં 3 તો અમદાવાદમાં 9 કેસ થયા છે. તાન્ઝાનિયા,યુકે અને ઝામ્બિયાથી આવેલા દર્દીઓમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.