દેશમાં 24 કલાકમાં કોરોનાના 2710 નવા કેસ નોંધાયા, 2296 દર્દી થયા સાજા
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 2710 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 14 દર્દીના મૃત્યુ થયા છે. 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2296 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,26,07,177 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 15,814
છે.દેશમાં 24 કલાકમાં રસીના 14,41,072 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં રસીના કુલ 192.97 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 4,65,840 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 84.88 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 98.75% છે. દૈનિક કોરોના રિક્વરી રેટ 0.58% છે અને સાપ્તાહિક કોરોના રિક્વરી રેટ 0.52% છે.