પાલનપુરના ચડોતર ગામના ડૉ. વિકાસભાઈ ઠાકોરની અનોખી જનસેવા
Live TV
-
કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ અને ઘણા સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામના ડોક્ટર વિકાસભાઈ ઠાકોર જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડૉ. વિકાસભાઈએ ગામમાં પોતાનું ક્લિનિક બંધ કરી ગામની શાળામાં દર્દીઓની નજીવા દરે સારવાર કરી રહ્યાં છે. એટલું જ નહીં વિધવા મહિલા અને ગરીબ દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ મફતમાં પૂરી પાડી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમણે 75થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર કરી તેમને સાજા કર્યા છે.