રાજ્યમાં કોરોનાનાં 348 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 97.69 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 348 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 294 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 97.69 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 2,60,745 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 348 કેસ નોંધાયા છે. તો 294 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 8,14,435 વ્યકતિઓનું પ્રથમ ડોઝ અને 72,713 વ્યકતિઓના દ્વિતિય ડોઝનું રસીકરણ પૂર્ણ.
સુરતમાં 61, અમદાવાદમાં 74, વડોદરામાં 67, રાજકોટમાં 52, ગાંધીનગરમાં 7, મહેસાણામાં 2, ભરૂચમાં 1, નર્મદામાં 3, જૂનાગઢમાં 4, ભાવનગરમાં 6, સાબરકાંઠા 4, મોરબીમાં 2, અમરેલીમાં 2, કેસ નોંધાયા છે.