રાજ્યમાં કોરોનાનાં 48 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.74 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 48 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 24 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.74 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 1,39,589 દર્દીઓનું રેસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુઘીમાં 8,17,263 વ્યકિતઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં 17, વડોદરામાં 7, સુરતમાં 9, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ભરુચમાં 1, આણંદમાં 1, ખેડામાં 1, સુરેન્દ્રનગરમાં 1, જામનગરમાં 2, તાપીમાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, કચ્છમાં 1 કેસ નોંધાયો છે.