રાજ્યમાં કોરોનાનાં 50 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.74 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 50 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 24 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.74 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 4,21,081 દર્દીઓનું રેસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુઘીમાં 8,17,158 વ્યકિતઓએ કોરોનાને મ્હાત આપી.
અમદાવાદમાં 15, વડોદરામાં10, સુરતમાં 7, રાજકોટમાં 5, ભાવનગરમાં 3, આણંદમાં 1,ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1, તાપીમાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, કચ્છમાં 1 કેસ નોંધાયો છે.