સંતરામપુરના બે લાભાર્થીઓના આયુષ્યમાન ભારત થકી થયા સફળ ઑપરેશન
Live TV
-
આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ પરિવારો સુધી પહોંચી રહ્યો છે.
આ યોજના થકી મહિસાગર જિલ્લાના લાભાર્થી એવા બે ગરીબ કુટુંબની મહિલાના ઓપરેશન સંતરામપુર ખાતેની સુરેખાબા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા.
એક જ દિવસે બંને લાભાર્થી મહિલાના સફળ ઓપરેશન થયા હતા. બંને મહિલા લાંબાગાળાથી પીડાઈ રહી હતી. આ યોજના હેઠળ નિઃશુલ્ક શસ્ત્રક્રિયા સંભવ બની હતી અને ગરીબ પરિવાર શસ્ત્રક્રિયાના વધારાના આર્થિક બોજથી બચી ગયો હતો.
