7 એપ્રિલ-આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી
Live TV
-
સંતુલિત આહાર , ફીટ રહેવા માટે વ્યાયામ કરવો, સમયસર શરીરની તપાસ કરાવવી, તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો અને પૂરતી ઉંઘ - સ્વસ્થ શરીર માટે જરૂરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે. આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચાસભાઓ, સેમીનાર, પ્રદર્શન, માર્ગદર્શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે. સંતુલિત આહાર , ફીટ રહેવા માટે વ્યાયામ કરવો, સમયસર શરીરની તપાસ કરાવવી, તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો અને પૂરતી ઉંઘ લેવાથી શરીરની યોગ્ય માવજત કરી શકાય છે..