તાન્ઝાનિયાના મોરોગોરમાં તેલના ટેન્કરમાં ભીષણ આગમાં 97ના મોત
Live TV
-
તાનઝાનિયાના પૂર્વે ભાગમાં સ્થિત મોરોગોરમાં તેલના ટેંકરમાં વિસ્ફોટ થવાના કારણે મરનાર લોકોની સંખ્યા વધીને 97 પહોંચી છે.
દારે સલામના મહોબલી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે, રવિવાર અને સોમવારના રોજ અન્ય 3 લોકોના મોત થયા હતા. જેના કારણે આ દુર્ઘટનામાં મરનારનો આંક 97 પર પહોચ્યો છે.
નોંધનીય છે કે 1 ઓગસ્ટના રોજ બનેલી આ દુર્ઘટનામાં 18 જેટલા ઈજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે. જો કે આ દુર્ઘટનામાં વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘટના સ્થળ પર જ 60 થી વધુ લોકોના મોત થયા હતા.
