અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા સર્વદળીય પ્રાર્થના સભા
Live TV
-
અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપવા દિલ્હીમાં સર્વદળીય પ્રાર્થના સભા યોજાઈ, અટલજીએ ખરા અર્થે જનજીવનને જીવન સમર્પિત કર્યુ તેવું જણાવતા પ્રધાનમંત્રી નરેદ્રમોદી- વિવિધ દળના નેતાઓએ સભાને સંબોધી અટલજીને આપી શ્રધ્ધાંજલિ
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇને શ્રધાંજલિ આપવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડીયમમાં સર્વદળીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરકારના તમામ કેબીનેટ મંત્રીઓ તેમજ વિપક્ષી દળોના નેતા સહિત પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા.
પ્રાથના સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અટલજી દેશ માટે જીવ્યા. ૧૧ મે એ પરમાણું પરિક્ષણ અટલજીના અટલ નિર્ણયના કારણે જ શક્ય બન્યું. જીવન કેટલું લાંબુ છે તે આપણા હાથમાં નથી. જો કે જીવન કેવું છે તે આપણા હાથ માં છે. અટલજી નામથી જ અટલ નહોતા પરંતુ જીવનમાં પણ અટલ જોવા મળ્યા.
