અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Live TV
-
જૈશ કમાન્ડર સજ્જાદ બટને ઠાર કરવામાં આવ્યો
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ દરમિયાન , જૈશ કમાન્ડર સજ્જાદ બટ ને પણ ઠાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સજ્જાદ બટની કારનો ઉપયોગ, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં, સી.આર.પી.એફ. ના કાફલા પર થયેલા હુમલામાં કરવામાં આવ્યો હતો. હાલમાં પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહિદ થયેલા સેનાના મેજર કેતન શર્માના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ સેનાના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને, શહિદને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
