અનલૉક-4ની નવી ગાઈડલાઈન જાહેર, શાળા-કૉલેજો બંધ રહેશે
Live TV
-
અનલોક-4ને લઈને ગૃહ મંત્રાલય તરફથી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો ટ્રેન શરૂ થશે.
જો કે 30 સપ્ટેમ્બર સુધી શાળા અને કૉલેજો બંધ રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમને 100 લોકોની મર્યાદિત સંખ્યામાં મંજૂરી અપાશે.
જો કે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ લેખિત પરમિશન સાથે ઈચ્છે તો શાળાએ જઈ શકશે. જો કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લૉકડાઉનના નિયમો રહેશે. ઑપન એર થિએટર 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આંતરરાજ્ય અને રાજ્ય-રાજ્યની અંદર વાહન વ્યવહાર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
