અન્નદાતાઓની આવક બમણી થશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
રાજ્યસભામાં કૃષિ સંબધિત બે મહત્વના ખરડાઓ પાસ થયાં હતા. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના કૃષિ ઈતિહાસમાં ગઇકાલના દિવસને મહત્વનો દિવસ ગણાવ્યો છે.
રાજ્યસભામાં કૃષિ સંબધિત બે મહત્વના ખરડાઓ પાસ થયાં હતા. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના કૃષિ ઈતિહાસમાં ગઇકાલના દિવસને મહત્વનો દિવસ ગણાવ્યો છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા જણાવ્યું હતું, કે આ એક સ્વાગત યોગ્ય પગલું છે. સંસદમાં પાસ થયેલાં વિધેયકોથી અન્નદાતાઓની આવક બમણી કરવાના પ્રયાસોને બળ મળશે. દાયકાઓ સુધી ખેડૂતો બંધાયેલા હતાં, તેમને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ સંસદમાં પાસ થયેલા આ કૃષિ સંબધીત બિલથી અન્નાદાતાઓને આઝાદી મળી છે. કરોડો ખેડૂતો સશક્ત થશે.
