સંસદમાં કૃષિને લગતા બે બિલ પાસ, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બનશે કાયદો
Live TV
-
સંસદના ચોમાસુ સત્રના ગઇકાલે સાતમા દિવસે ખેડૂતો સંબંધી મહત્વના વિધેયક રાજ્યસભામાં પાસ થયાં હતા. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં ખેડૂત સંબંધી મહત્વના ત્રણ વિધેયક - કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય વિધેયક-2020 મુલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક-2020 અને જીવન આવશ્યક સુધારા વિધેયક-2020 રજૂ કર્યાં હતાં.
સંસદના ચોમાસુ સત્રના ગઇકાલે સાતમા દિવસે ખેડૂતો સંબંધી મહત્વના વિધેયક રાજ્યસભામાં પાસ થયાં હતા. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં ખેડૂત સંબંધી મહત્વના ત્રણ વિધેયક - કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય વિધેયક-2020 મુલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક-2020 અને જીવન આવશ્યક સુધારા વિધેયક-2020 રજૂ કર્યાં હતાં. આ બિલ પર ચર્ચા સમયે ટી.એમ.સી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાંસદોએ રાજ્યસભામાં ભારે અવરોધ પેદા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું, કે આ બિલથી ખેડૂતોનું જીવન ધોરણ સુધરશે. વિધેયકોની જોગવાઇ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવશે.
