અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ સંપદાના વિકાસ માટે ભારત પ્રતિબંધ્ધ :રવિશકુમાર,પ્રવક્તા વિદેશ મંત્રાલય
Live TV
-
વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ આજે અફઘાનિસ્તાનના કાર્યકારી નાણાંમંત્રી અબ્દુલ હબીબ ઝરદાન અને નાયબ પરીવહનમંત્રી મહમ્મદ ઝકરીયા સાથે વાતચીત કરી હતી તથા ભારતની સહાયથી હાથ ધરાનાર માર્ગ યોજનાની સમજૂતી ઉપર હસ્તાક્ષર વખતે હાજરી આપી હતી. હર્ષવર્ધન શૃંગલાએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીની મુલાકાત લીધી હતી અને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલો પત્ર આપ્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વીટર ઉપર જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવ સંપદાના વિકાસ માટે ભારત પ્રતિબંધ્ધ છે.
