કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય ઇન્ડિયા આઈડિયાઝ કોન્ક્લેવ 2020નો આજથી પ્રારંભ
Live TV
-
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિદિવસીય ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવ-2020નો શનિવારથી પ્રારંભ થયો છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર મોહંમદ નાશીદ સહિત દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્કલેવનું ઉદધાટન કરવામાં આવ્યું છે. કોન્કલેવની આ વખતની થીમ " ટર્નિગ ટુ રૂટસ રાઈઝિંગ ટુ હાઈટ્સ" એટલે કે જડ સે જુડે ઔર ઊંચાઈયો સે આગે બઢે પરની છે.
