Skip to main content
Settings Settings for Dark

અમિતાભ બચ્ચનને મળ્યું સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે સન્માન

Live TV

X
  • નવી દિલ્હી : બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અમિતાભ બચ્ચનને આ સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે અમિતાભે ભારતની જનતાનો આભાર માન્યો હતો. સન્માન મળ્યા બાદ બચ્ચને ભારત સરકાર, જ્યૂરી સદસ્યો પ્રતિ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈશ્વરની કૃપા, માતાપિતાના આર્શીવાદ ઉપરાંત ભારતની જનતાના પ્રેમને કારણે હું અહી ઉભો છું.

    અમિતાભે કહ્યું કે, જ્યારે આ પુરસ્કારની જાહેરાત થઈ તો મારા મનમાં સવાલ આવ્યો કે, શું મારું પૂરુ થયાના કે રિટાયર્ડમેન્ટ લેવાના આ સંકેત છે? તો હું તમને સૌને બતાવવા માંગું છું કે, મને હજી બહુ કામ કરવાનું છે. આ પહેલા અમિતાભ બચ્ચનને 23 ડિસેમ્બરના રોજ સન્માન અપાવાનુ હતું. પરંતુ તેમની તબિયત ખરાબ થવાને કારણે અમિતાભ બચ્ચન સન્માન લેવા પહોંચી શક્યા ન હતા. આ કારણે આજે 29 ડિસેમ્બર માટે ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. ભારતીય સિનેમામાં કોઈ વ્યક્તિ વિશેષના ખાસ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર સૌથી પહેલા 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન પહેલા વિનોદ ખન્ના, મનોજ કુમાર, શશી કપૂર સહિત બોલિવુડના અનેક કલાકારોને આ વિશેષ યોગદાનથી નવાજવામાં આવી ચૂક્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply